સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ઇંટો ભરેલ રીક્ષા ખાડમાં ઉંધી વળતા ડેરવાળાના ગણપતભાઇનું મોત

ત્રણ દિ' પહેલા જ રીક્ષા લઇ આવેલ : ભાઇ સાથે હોય ઇજા થઇ : ૭ દિ' પહેલા જ માતાનું અવસાન થયેલ

વઢવાણ, તા. ૧૯ : ડેરવાળાના ગણપતભાઇ રામજીભાઇ રાઠોડ ત્રણ દિવસ પહેલા જ છકડો લાવ્યા હતા. આજે લખતરથી ઇંટો ભરી પોતાના ભાઇ સાથે છકડો લઇ ડેરવાળા પરત જઇ રહ્યા હતા. ત્યારે લખતરના મેલડીમાંના મંદિર પાસે અગમ્ય કારણોસર છકડાના સ્ટેટરીંગ પરનો કાબુ ગુમાવતા તે અને તેનો ભાઇ સુનિલભાઇ રામજીભાઇ રાઠોડ સાથે બાજુની ખાડમાં પલ્ટી ખાઇ જતાં ગણપતભાઇ તથા સુનિલભાઇ છકડા સાથે ઉતરી જતા ગણપતભાઇનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું. આમ ભાઇની સામે જ ભાઇનું મોત થયું અને સાત દિવસ પહેલા જ મરનારની માતા તખુબેન રામજીભાઇ રાઠોડનું મૃત્યુ થયું હતું. તેઓ ત્રણ ભાઇઓ હતા. જેમાં અશોકભાઇ, સુનિલભાઇ અને ગણપતભાઇ હતા. મરનાર ગણપતભાઇને બે સંતાન છે. ધવલ અને બીજો અમિત છે. આથી નાના એવા ડેરવાળા ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.(૮.૧૧)

(11:49 am IST)