સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

ભાવનગર જિલ્લામા ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો જ્યારે ૧૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૮૮ કેસો પૈકી ૬૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૮૮ થવા પામી છે. જેમા  ભાવનગર જિલ્લામાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૮ અને તાલુકાઓમાં ૬ કેસ મળી કુલ ૧૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૮૮ કેસ પૈકી હાલ ૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૪ દર્દીઓનું અવસાન થયેલ છે

(8:40 pm IST)