સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

ગાંધીધામ ૧ાા, રાજકોટ ૧, જૂનાગઢ-જામનગરમાં અડધો ઈંચ

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ઝાપટાથી દોઢ ઈંચ વરસાદ પડયો હતો. કચ્છના ગાંધીધામમાં દોઢ ઈંચ તથા રાપરમાં ઝાપટા વરસ્યા હતા. જ્યારે રાજકોટમાં એક ઈંચ વરસાદ પડયો હતો અને ગોંડલમાં ઝાપટા પડયા છે. અમરેલીના બાબરામાં ઝાપટા પડયા છે.જ્યારે જૂનાગઢમાં અડધો ઈંચ વરસાદ પડયો છે. જ્યારે માંગરોળ, માળીયા હાટીના, વંથલી, વિસાવદરમાં ઝાપટા પડયા છે.જામનગર શહેરમાં અડધો ઈંચ તેમજ જામજોધપુર, ધ્રોલ અને લાલપુરમાં ઝાપટા વરસ્યા છે.

(3:18 pm IST)