સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ અને ભેસાણ, મેંદરડા, વિસાવદરમાં કેસ શૂન્ય

૨૪ કલાકમાં નવા કેસની સામે ૪૩ દર્દી ડિસ્ચાર્જ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૯ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ અને ભેસાણ, મેંદરડા તેમજ વિસાવદર કેસ શુન્ય થયા છે.

ગુજરાતની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેર હળવી થઇ છે. ૨૪ કલાક દરમ્યાન જૂનાગઢના ૯ સહિત જિલ્લામાં કુલ ૨૧ કેસ નોંધાયા હતા.

તેમાંય ખાસ કરીને ભેસાણ, મેંદરડા અને વિસાવદરમાં એક પણ કેસની એન્ટ્રી થઇ ન હતી.

બીજી તરફ જૂનાગઢ સીટીમાં ૧૫, જૂનાગઢ ગ્રામ્ય -૩, કેશોદ-૮, માળીયા-૪, માણાવદર -૫, વિસાવદર -૩ અને માંગરોળનાં બે ઉપરાંત ભેસાણ, મેંદરડા અને વંથલીનાં એક -એક મળી જિલ્લામાં કુલ ૪૩ દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

રાહતની વાત એ છે કે શુક્રવારે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયુ ન હતું.

દરમ્યાન જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૧,૪૭૭ અને ગ્રામ્યમાં ૪,૮૮૧ મળી કુલ ૬,૩૫૮ લોકોનું વેકિસનેશન થયું હતું.

(10:36 am IST)