સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th June 2018

જામકંડોરણામાં રાદડીયા પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

જામકંડોરણા : રાદડીયા પરિવારના કુળદેવી શ્રી ખોડીયાર માતાજીના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ સુધી યોજાયો હતો. ત્રણ દિવસ સુધી યોજાયેલ યજ્ઞમાં યજમાન પદે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પરિવારે હાજરી આપી હતી. જામકંડોરણા, ચારણીયા, જેતપુર, ગોંડલ, દેવકી, ગાલોળ સહિતના ગામોના સમસ્ત રાદડીયા પરિવારના ભાઇઓ તથા બહેનોએ આ ત્રિદિવસીય કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ત્રિદિવસીય યજ્ઞમાં આચાર્યપદે સાણથલી ગામના શાસ્ત્રી જગદીશચંદ્ર વ્યાસે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ કરાવેલ. આ ધાર્મિક પ્રસંગનો સમસ્ત રાદડીયા પરિવારે લાભ લીધો હતો. મહોત્સવમાં પૂજન સમયની તસ્વીરો.

(12:20 pm IST)