મોરબી સિવિલમાં અનન્ય સેવા આપનાર અજયભાઈ લોરિયાને પ્રશસ્તિ પત્ર આપી સન્માન
મોરબીમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હોય ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન સીલીન્ડર બદલવા માટે માનવ બળ પૂરું પાડનાર યુવા અગ્રણી અજયભાઈ લોરિયાને સન્માનિત કરવામાં આવ્યા છે
મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. સરડવાએ યુવા અગ્રણી અજયભાઈ લોરિયાને પ્રશસ્તિ પત્ર એનાયત કર્યું છે જેમાં મોરબી હોસ્પિટલ ખાતે કોરોના મહામારીની સ્થિતિમાં જીલ્લા પંચાયત અજયભાઈ લોરિયાએ ઓક્સીજન સીલીન્ડર બદલવા માનવબળ પૂરું પાડ્યું હોય અને દર્દીઓની સેવામાં ખુબ સહકાર આપ્યો હોય તે ઉમદા કામગીરી બદલ તેમનો આભાર માની તેમની કામગીરીને બિરદાવી હતી
ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડર બદલવા માટે 32 દિવસ રાત્રી ના 8 થી સવાર ના 8 સુધી 5 રોજમદાર રાખીને એક પણ અનિચ્છનીય ના બને તેવી તકેદારી અજયભાઈ લોરિયાએ રાખી હતી જે કાર્ય બદલ હોસ્પિટલ તંત્રએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે