સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th May 2019

ચોટીલા માતાજીના ડુંગર નજીક રાજકોટના પ્રેમીપંખીડાનો ઝાડ સાથે ગળેફાંસો ખાઈને આપઘાત

સમાજ પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવી દહેશતથી બંનેએ ખોડીયાર ગાળામાં વગડામાં લીમડાની ઝાડ સાથે ગળેફાંસો ખાદ્યો

ચોટીલા માતાજીનાં ડુંગર નાના પાળીયાદના બાજુમાં ખોડીયાર ગાળામાં ઝાડ સાથે રાજકોટનાં પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે બનાવ જાણ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બંન્નેના મૃતદેહનાં પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે

   મળતી વિગત મુજબ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર બાજુમાં ખોડીયાર ગાળામાં વગડામાં લીમડાની ઝાડ સાથે યુવક અને યુવતીની લાશ લટકતી હોવાની પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે બંન્નેના મૃતદેહોને ઉતારીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી.

   યુવક મુળ ચોટીલા તાલુકાના લાખાવડી ભાલાણી ગામનો અને હાલ રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતો વિપુલ પરાગ ચોવસીયા નામના ૨૪ વર્ષીય યુવાન અને યુવતી રાજકોટ આર.ટી.ઓ. ઓફીસ પાસે માલધારી સોસાયટીમાં રહેતી મનીષાબેન હનુભાઈ ચોવસીયા નામની ૨૦ વર્ષીય યુવતી સહિત બંનેની ઓળખ મળતા પોલીસે વાલી વારસોને જાણ કરી મૃતદેહ સોંપવા તજવીજ હાથ ધરી છે.

 યુવક અને યુવતીનાં પ્રેમસંબંધને નહી સ્વીકારે તેવી દહેશતથી બંન્નેએ ભરી લેવાની તેમજ ફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી યુગલ લટકતા હતા. સળગાવેલો ભઠ્ઠો હોવાથી પોલીસે તે દિશામાં પણ પ્રાથમીક તપાસ હાથ ધરી છે.

(1:15 am IST)