ભાવનગરમાં ગુરૂનાનક દેવની ગુરબાની કથાનો પ્રારંભ...૧૦ દિ' કરાવાશે રસપાન
કેનેડાના મહેન્દ્રસિંહજી (ખાદીમ) આપશે ઉપદેશ, અન્ય સ્થળોએ પણ ભાવીકોને મળશે લાભઃ સિન્ધી સમાજમાં અનેરો ઉત્સાહ
ભાવનગર, તા., ૧૯: અહીંયા સમસ્ત સિન્ધી સમાજ દ્વારા રસાલા કેમ્પ માધવ દર્શન પાછળ આવેલ ગુરૂ નાનક ન્યુ ગુરૂદ્વારામાં ર૮મી સુધી કેનેડાના આંતરરાષ્ટ્રીય ગુરબાની કથાકાર મહેન્દ્રસિંઘજી (ખાદીમ) દ્વારા ગુરૂનાનક દેવસાહેબની ગુરબાની કથાનું રસપાન કરાવવામાં આવશે. જેના કથાનો સમય સવારે ૮ થી ૯ અને રાત્રે ૯ થી ૧૦ રખાયો છે.
આ પ્રસંગ અંતર્ગત આજે સિંહોરમાં સિન્ધી કોલોનીમાં આવેલ ગુરૂનાનક ગુરૂદ્વારામાં રાત્રે ૯.૩૦ થી ૧૦.૩૦ તથા પાલીતાણા યાત્રાધામમાં તા. રરમી મે રાત્રે ૯ થી ૧૦ અને તા.ર૩મીએ સવારે ૬ થી ૭ મહેન્દ્રસિંઘજી (ખાદીમ) નો કથાનો કાર્યક્રમ યોજાનાર છે. એવી જ રીતે અન્ય સ્થળોએ પણ ધર્મપ્રેમી સાદસંગતને ગુરૂબાની કથા વિયાખ્યા સાથેનો ઉપદેશ આપશે. સૌ સિન્ધી સમાજને ગુરૂબાની કથા ઉપદેશનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.