વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરાની વિશેષ ટ્રેનો રદ્દ
રાજકોટ,તા. ૧૯: વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરાની વિશેષ ટ્રેનો આજે ૧૯ એપ્રિલથી રદ કરવામાં આવી છે કોરોના રોગચાળાને લીધે મુસાફરોની સંખ્યા ઓછી હોવાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્ર દ્વારા આગામી સૂચના સુધી વેરાવળ-અમદાવાદ-વેરાવળ અને જામનગર-વડોદરા-જામનગર વિશેષ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ᅠરાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, આગળની સૂચના સુધી આ ટ્રેનો રદ કરાઈ હોવાની વિગતો નીચે મુજબ છે. ૧. ટ્રેન નંબર ૦૯૨૫૮ વેરાવળ-અમદાવાદ વિશેષ ટ્રેન આજે ૧૯ એપ્રિલ, ૨૦૨૧ થી રદ થઈ. ૨. ટ્રેન નંબર ૦૯૨૫૭ અમદાવાદ-વેરાવળ વિશેષ ટ્રેન ૨૦ એપ્રિલ, ૨૦૨૧ થી રદ થઈ. ૩. ટ્રેન નંબર ૦૨૯૬૦ જામનગર-વડોદરા સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ૧૯ એપ્રિલ, ૨૦૨૧ થી રદ થઈ. ૪. ટ્રેન નંબર ૦૨૯૫૯ વડોદરા-જામનગર સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન આજથી રદ થઈ કરાઈ છે.