News of Monday, 19th April 2021
અમરેલીમાં સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૯ :.. અમરેલીમાં વેપારી મહામંડળ અને જુદી જુદી પર સંસ્થાઓએ જાહેર કરેલ સ્વૈચ્છીક લોકડાઉનના પગલે ગઇકાલે રાત્રીના ૮ વાગ્યાથી અમરેલીની બજારના દુકાનો ધંધા-રોજગાર સ્વૈચ્છીક બંધ રહયા હતા અને વેપારીઓ સહિતે સજજડ લોકડાઉન પાળ્યો હતો આજે સવારે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય બજાર સજ્જડ બંધ રહી હતી.
સ્વૈચ્છીક લોકડાઉનને કારણે બજારમાં પણ સુમસામ વાતાવરણ જોવા મળીયું હતું. સરકારના જાહેરનામાંથી રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી ગામ બંધ રહેતુ હતું અને દિવસે બજાર ખુલ્લી હતી પણ વેપારીઓ એ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેતા લોકો પણ સ્વયભુ સહયોગ આપી રહ્યા છે. (તસ્વીર અરવિંદ નિર્મળ -અમરેલી)
(1:50 pm IST)