ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના ૪પ કેસો સીવીલમાં ૧૦૦ દર્દીઓ સારવારમાં આઠના મૃત્યુઃ ખાનગી હોસ્પીટલો હાઉસફુલ
(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: ગીર સોમનાથ જીલ્લામાં કોરોના સંક્રમણ વધતુ જાય છે ૪પ કેસો આજે નોધાયેલા છે ૧૦૦ દર્દીઓ સારવારમાં આઠના મૃત્યુ થયેલ છે ખાનગી હોસ્પીટલો તમામ હાઉસફુલ થઈ ગયેલ છે તેથી આરોગ્ય તંત્રપણ ભારે દોડધામ કરી રહેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોના ના વધુ ૪પ કેસો નોંધાયેલ છે તેમાં વેરાવળ ૧પ,સુત્રાપાડ ૩,કોડીનાર ૧,ઉના ર૪, ગીરગઢડા ૧, તાલાલા ૧નો સમાવેશ થાય છે વેરાવળની સીવીલ હોસ્પીટલમાં ૧૦૦ દર્દીઓ સારવાર લઈ રહેલ છે આઠના મૃત્યુ થયેલ છે ખાનગી હોસ્પીટલો હાઉસફુલ થઈ ગયેલ છે ત્યારે આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગયેલ છે ઓકસીજન,વેન્ટીલેટર,બેડ મળતા નથી તેવી ફરીયાદો ઉઠી છે વહીવટી તંત્ર દ્રારા જીલ્લામાં તાત્કાલીક વધારાના બેડો થાય તેવી માંગ ઉઠી છે.