ધ્રોલમાં ૧૨ દિવસનું લોકડાઉન
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૯ : ધ્રોલ શહેર અને તાલુકાના કોરોનાના મળત્યુ અને કોરોના સંક્રમણ થી દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હોય જેને લઇને ધ્રોલ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અલગ-અલગ વેપારીઓ એસોસિયનની મીટીંગ કરવામા આવી ધ્રોલ શહેરના તમામ નાના મોટા વેપારીઓ તારીખ ૩૦/૪/૨૦૨૧ સુધી ૨:૦૦ બાદ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાના એટલે સમય દરમિયાન સવારથી બપોર સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખવાના રહેશે
તેમ જ દૂધનું વેચાણ કરતા વેપારીઓને બપોર બાદ સાંજના ૬ થી ૮ બે કલાક માત્ર દૂધ દહીં છાશ માખણનો વેપાર કરવાનો રહેશે દરેક વેપારીઓને પોતપોતાના ધંધા-રોજગાર ૨ વાગ્યા બાદ બંધ રાખવામાં અને સહકાર આપવા અપીલ કરી છે તેમજ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે બપોર બાદ જરૂરી હોય તો જ બહાર નીકળવું કારણ વગરનું બહાર નીકળવું નહીં તમામ સાવચેત રહો સુરક્ષિત ઘરમાં રહો...