સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

મોરબીમાં કોરોના સામે લડતમાં ઝીલોટ ગૃપ દ્વારા ૧૦ લાખની સહાય

સંકટ સમયે મોહનભાઇ કુંડારીયાની ઉદ્યોગપતિઓને આહવાનને પ્રતિસાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૯ : મોરબીના પીઢ અગ્રણી, સંસદસભ્‍ય એવા મોહનભાઇ કુંડારિયા સોશ્‍યલ મીડિયા દ્વારા ઉદ્યોગપતિઓને આ કોરોનાની મહામારી અનુસંધાને યેનકેન પ્રકારે લોકોને ઉપયોગી થવા આહવાન કરેલ તેનાથી પ્રેરાઇને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ એવા ઝીલોટ ગ્રૂપના ડી. સી. પટેલ મોહનભાઈને સામેથી ફોન કરીને કહ્યું કે તમારા આહવાનથી પ્રેરાઇને, તમારા માર્ગદર્શન હેઠળ રૂ. ૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ) જેવું ડોનેશન આપવા ઇચ્‍છું છું તો ક્‍યાં કેવી જરૂરિયાત છે તે મને જણાવો.

મોહનભાઇએ કોરોના રેપીડ ટેસ્‍ટ કીટની જરૂરિયાત હોવાનું જણાવ્‍યું હતું જેથી ડી. સી. પટેલ ૧૦,૦૦૦ કિટ (૧૦ લાખ રૂપીયા) મોરબીમાં મોહનભાઈના નેજા હેઠળ સમર્પણ કરવાનું જાહેર કરેલ. જેથી મોરબીના કોઈપણ હેલ્‍થ સેન્‍ટરમાં દ્યટ ન પડે તેવું આયોજન કરેલ છે. મોરબી સીટી કરતાં ગ્રામ્‍ય વિસ્‍તારના આરોગ્‍ય કેન્‍દ્રમાં વધુ જરૂરિયાત છે તેથી આ બાબતે આયોજન કરી મોહનભાઇ પોતાની દેખરેખ હેઠળ રેપિડ ટેસ્‍ટ કિટ દરેકને પહોંચતી કરશે.

(1:01 pm IST)