સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

મોરબી સિવીલ હોસ્‍પિટલના ડો.અશ્વીન ટાંકનું અમદાવાદ સારવાર દરમિયાન મૃત્‍યુ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧૯:  સિવીલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા ડો. અશ્વિન ટાંકનું અમદાવાદ સારવાર દરમ્‍યાન ગતરાત્રીના મૃત્‍યુ નિપજયું હતું.

મુળ સુપેડી તાઃ  ધોરાજીના વતની અને સીએચસી વંથલીથી તાઃ- ૦૨/૦૧/૨૦૧૦થી બદલી થઈ મોરબી ફરજમાં મુકાયેલા અને ત્‍યારથી મોરબી સિવીલ હોસ્‍પિટલ માં ફરજ બજાવતા સિનિયર ડોકટર અશ્વીન ટાંકને તાઃ ૨૦/૩ ના રોજ તબિયત લથડતા તાત્‍કાલિક અમદાવાદ એસવીપી હોસ્‍પિટલ માં સારવાર માં ખસેડવામાં આવ્‍યા હતા. જયા સારવાર દરમ્‍યાન ગતરાત્રીના મૃત્‍યુ નીપજયું હતું જો કે ઉલ્લેખનીય છે કે ડો.ટાંક કોરોના સંક્રમિત થયા હોય અને સારવાર ચાલુ હોય દરમિયાન તેનું મૃત્‍યુ નીપજયું હોવાની માહિતી મળી હતી.ડો ટાંકના મૃત્‍યુના સમાચારને પગલે મોરબી સિવીલ હોસ્‍પિટલમાં દુઃખની લાગણી ફેલાઈ છે.

(1:03 pm IST)