સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

પોરબંદર જિલ્લામાં ર૪ કલાકમાં પ મૃત્યુઃ નવા ર૧ પોઝીટીવ કેસઃ સરકારના રેકર્ડમાં એક મૃત્યુ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. જિલ્લામાં કોરોનાથી ર૪ કલાકમાં પ દર્દીઓના મૃત્યુ થયેલ છે. અને કોરોના પોઝીટીવના ર૪ કલાકમાં ર૧ નવા કેસ આવ્યા છે.

સરકારના રેકર્ડ મુજબ કોરોનાથી ર૪ કલાકમાં ૧ દર્દીનું મૃત્યુ થયાની નોંધ થઇ છે.

જિલ્લામાં કોરોના પોઝીટીવના નવા ર૧ કેસ છાંયા, રાજીવનગર, ઝૂરીબાગ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રાણાવાવ, બાવળવદર, ખાપટ વગેરે વિસ્તારોમાંથી આવ્યા છે.

ગઇકાલે પ૯૧ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાં ર૧ કેસના પોઝીટીવ રીપોર્ટ તેમજ બાકીના તમામના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતાં. કોરોનાની સારવાર દરમિયાન ૧૦ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ કોરોનામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૯૯પ થઇ છે. સીવીલ હોસ્પિટલમાં હાલ ૪૧ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહેલ છે.

(12:56 pm IST)