સોમનાથમાં મહત્વના સ્થળોની બસો ન મળતા યાત્રીઓ પરેશાન
પ્રભાસપાટણ તા ૧૯ : યાત્રાધામ સોમનાથમા ં આવેલ એસ.ટી. બસ સ્ટેશનમાંથી અનેક રૂટની બસો મળતી નથી, જેથી યાત્રીકો હેરાન પરેશાન થાય છે અને ના છુટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. સોમનાથ થી અમરેલી, પરબ, સત્તાધાર, ગીર કનકાઇ, તરફની એસ.ટી.ની મેટ્રો લીંક સુવિધા ન મળવાને કારણે યાત્રીકો હેરાન થાય છે. સોમનાથ થી માતાના મઢ (કચ્છ) અને મુંબઇની વોલ્વો બસ, તેમજ અન્ય રૂટોની સુવિધા બાબતે એસ.ટી. તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવતું નથી.
સોમનાથમા ં સમગ્ર દેશ ભરનાં યાત્રીકો આવે છે, જેથી સોમનાથ બસ સ્ટેશનમાંથી મુસાફરો પણ પુરતા પ્રમાણમાં મળી રહે છે, છતાં પણ એસ.ટી. તંત્રની ઉદાસીનતાને કારણે સોમનાથ થી યાત્રીકોને પુરતી સુવિધા મળતી જથી જે તાત્કાલીક વધારવા યાત્રીકોની માંગણી છે.