સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th March 2023

મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની હડફેટે આવી જતા એક અજાણ્યા પુરુષનું મૃત્યુ

મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની હડફેટે આવી અડફેટે આવી જતા એક અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશનની નજીક રેલવેના પાટા પર ટ્રેનની હડફેટે આવી જતા અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું.ધટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસ દોડી આવી હતી અને  મૃતદેહને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને મૃતદેહની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

 

(11:10 pm IST)