સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ભાટીયાની તરૂણી ઉપર દુષ્કર્મ આચરનાર ભાટવડીયાના કથિતભુવા ભરત સોનગરાની ઘરપકડ

ખંભાળિયા, તા.૧૯: કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે મામા દેવનું મંદિર રાખી પિડીતોના દર્દ મટાડવાની ધતિંગ લીલા કરી દુઃખી પરિવારોની ભાવનાઓ સાથે ખસલવાડ કરતા કતિત ભૂવાનૂં સત્ય પ્રકાશમાં આવ્યું છે. ભાટીયાના પરિવારને કુટુંબમાં કોઇ નડતર હોવાથી ભાટવડીયા ગામે મામાદેવના નામે જોવાનું કામ કરતો ભરત કરશન સોનગરા (ઉ.વ.૩૦)ને ત્યા છેલ્લા ૨૦થી૨૫ દિવસથી પરિવારના સચ્યો અવાર-નવાર જતાં હોય ત્યારે ગત તા.૧૬ના રોજ ભૂવાને ત્યાં રાત્રીના સમયે પરિવારના બગડતા ભરતે જોવાનું નાટક કરી પરિવારને જણાવેલ કે તમારા પરિવારમાં જે નડતર છે તે આ તમારી છોકરીના શરીરમાં છે. આથી તેની વિધી કરી કાઢવું પડશે તેમ કહી તરૂણીને ખેતરમાં થોડે દૂર લઇ જઇ શરીરે ભભૂતી છાંટી અડપલા કરતા ભૂવા ભરતને વાસનાનો કિડો સળવળતા તરૂણી ઉપર બળાત્કાર ગુજારી કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા તરૂણી ગભરાઇ જઇ કોઇને જાણ ન હતી જેના બે દિવસ દરમ્યાન ભાોગબનનાર તરૂણીને પેટમાં દૂઃખાવો થતા માતાએ પુછતા પ્રથમ તરૂણીએ કાંઇ ન જણાવતા માતાએ વારંવાર પૂછતાં સમગ્ર ઘટના અંગેની વાત કરતા ભોગ બનનારની માતાએ ગત તા.૧૮ના રોજ કથિત ભૂવો ભરત કરશન સોનગરા વિરૂધ્ધ કલ્યાણ પુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરીયાદના આધારે ગુનો નોંધી ભરત કરશન સોનગરાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ મળતી વિગત મુજબ ભૂવો ભરત સોનગરા છેલ્લા કેટલાક વર્ષોથી જોવાનું કામ કરતો હતો આથી અન્ય કોઇ પરિવાર ભોગ બન્યો છે કે કેમ તે અંગેની તપાસ પણ કલ્યાણપુર પોલીસ દ્વારા ચલાવવામાં આવી છે. પોલીસ દ્વારા બાળકીનું મેડીકલ ચેકઅપ માટેની તજવિજ પણ હાથ ધરી છે.

(3:58 pm IST)