ભુજમાં મુસ્લિમ મહિલાની તેના પતિએ જ હત્યા કર્યાનુ ખુલ્યુઃ પ ની ઘરપકડ
(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૧૯:-'પાપ હમેંશા છાપરે ચડીને પોકારે છે' ,એ ઉકિત ભુજની એક મહિલાના હત્યા કેસમાં સાચી પડી છે. નવ મહિના થયા ગુમ થયેલી ભુજની મુસ્લિમ મહિલાની હત્યા કરાઈ હતી અને એ હત્યાના ભેદભરમનું રહસ્ય પોલીસે ઉકેલ્યું છે.
પશ્યિમ કચ્છ એલસીબી દ્વારા આ હત્યા કેસ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ માં આપેલી માહિતિ અનુસાર પોતાની ઇસ્માઇલ હુસેન માજોઠી એ તા/૧૦/૬/૨૦૧૮ના પત્ની રૂકસાના ગુમ થઇ છે તે અંગે બી ડિવિઝન પોલીસમાં નોંધ કરાવી હતી. એવી ફરિયાદ કરનાર અને પત્નીના ગુમશુદાની ફરિયાદ કરનાર ઇસ્માઇલ હુસેન માજોઠી અને તેને સાથ આપનાર જાવેદ જુસબ માજોઠી, સાજીદ દાઉદ ખલીફા, સાયમ સાજીદ ખલીફા, મામદ ઓસમાણ કુંભારની ધરપકડ કરી છે.
હત્યારા પતિ ઇસ્માઇલ હુસેનમાં જોઠી એ અવારનવાર પોલીસ તેમજ કલેકટરને આવેદનપત્ર આપી પોતાની પત્ની ગુમ થઈ હોવાનું અને શોધી આપવા રજૂઆતો કરી હતી. પણ, ૯/૬/૨૦૧૮ના ઇસ્માઇલના મિત્ર જાવેદે રૂકસાનાને બોલેરો જીપમાં માંલઈ અને કાસમશા પીરની દરગાહ પાસે લઇ જઈ છરી વડે હત્યા કરી નાખી હતી. આરોપી પતિ ઇસ્માઇલ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી અને તપાસ એલસીબી પોલીસ પાસેથી લઈ અને બીજા ને આપવા માંગ કરી હતી.
ઇસ્માઇલે પત્ની રૂકસાનાના ડેડ બોડીના અસ્થિ સીમંધર સીટીમાં ચાલતા મકાનના કામમાં દાટી દીધા હતા. જે, અસ્થિ પોલીસે કબજે કર્યા હતા.