સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

કોટડાસાંગાણીના અરડોઈમાં નર્મદા નીરના આગમનથી પાણીની સમસ્યા દુર લોકો ખુશખુશાલઃ

કોટડાસાંગાણીઃ કોટડાસાંગાણીના અરડોઈ ગામમા નર્મદાના નીરનુ આગમન થતા ગામ લોકો તેમજ ભાજપના નેતાઓએ નર્મદાનીરના ભાવ પુર્વક વધામણા કર્યા હતા. સૌની યોજના થકિ ગોંડલનુ વેરી તળાવ ભરવા માટે ધોળીધજા ડેમમાથી પાઈપ લાઈન દ્વારા ગુંદાસરા નજીક પાણી છોડાયુ હતુ જે પાણી કોટડાસાંગાણીના અરડોઈ અને હડમતાળા થઈ ગોંડલના આશાપુરા અને વેરી તળાવ સહીતના ડેમો ભરવામા આવશે. તેથી લોકોમા અને ખેડુતોમા ખુશાલી જોવા મળી હતી. ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસીંહ જાડેજા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તેમજ આગેવાનો તાલુકા ભાજપ પ્રમુખ અરવીંદભાઈ સીંધવ વિપક્ષ નેતા પ્રતીપાલસીંહ જાડેજા સહીતનાઓએ નર્મદા નીરના વધામણા કર્યા હતા.(૨૨.૨)

(11:34 am IST)