News of Tuesday, 19th March 2019
સામખીયાળીના પુલ પાસે ટ્રક પલ્ટી જતાં માળીયા મિંયાણાના આમદભાઇનું મોત
રાજકોટ તા. ૧૯: સામખીયાળીના પુલ પાસે ટ્રક પલ્ટી ખાઇ જતાં માળીયા મિંયાણાના મુસ્લિમ પ્રોૈઢનું મોત નિપજ્યું છે.
માળીયા મિંયાણા રહેતાં આમદભાઇ હૈદરભાઇ મોવર (ઉ.૫૦) નામના પ્રોૈઢ ટ્રક હંકારીને જતાં હતાં ત્યારે સામખીયાળીના પુલ પાસે પહોંચતા અકસ્માતે ટ્રક પલ્ટી મારી જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહએ કાગળો કરી માળીયા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(11:28 am IST)