સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ભાવનગર હાઇ-વે ધોલેરા નજીક અકસ્માતમાં ર પુત્રોના મોતઃ માતા - પિતા ગંભીર

ભાવનગર તા. ૧૯: અમદાવાદ-ભાવનગર હાઇવે પર ધોલેરાથી દસ કિ.મી. દૂર સાંઢીડા ગામ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર બે બાળકોના ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે જયારે બાળકના માતાને જમણા હાથે ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતો મુસ્લિમ પરિવાર ભડિયાદ ઉર્ષમાંથી પરત ફરીને ભાવનગર જતા રસ્તામાં અકસ્માત સર્જાતા (ઉ.વ.૧૪) અને (ઉ.વ. ૧૬) ના બંને બાળકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે. જયારે બાળકોના માતા-પિતાની હાલત પણ ગંભીર જણાય છે. આ અકસ્માતના લીધે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી ઘટના સ્થળે ૧૦૮ ધંધુકા-ધોલેરાની ટીમ પહોંચી હતી અને સારવાર માટે ખસેડાયા હતા.

(11:28 am IST)