સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th March 2018

પૂ.માધવપ્રિયદાસજી - પૂ.ભકિતપ્રકાશદાસજી - પૂ.બાલકૃષ્‍ણદાસજીની ઉપસ્‍થિતિમાં

રીબડામાં બુધવારે SGVP ગુરૂકુલનો અનાવરણ મહોત્‍સવ

નૂતનશાખામાં ધો.૧ થી ૧૨ સુધી સીબીએસઈ બોર્ડની માન્‍યતા : સંતોના સાનિધ્‍યમાં યોજાશે કાર્યક્રમ

રાજકોટ, તા.૧૯ :  આજથી ૭૦ વર્ષ પૂર્વે, ગુરુકુલના આદ્ય સંસ્‍થાપક શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ ભગવાન શ્રી સ્‍વામિનારાયણના સર્વજીવ હિતાવહ તથા સદ્વિદ્યા પ્રવર્તનના સંદેશાઓને પ્રવર્તાવવા રાજકોટ ગુરુકુલની સ્‍થાપના કરીછે.

શાષાીજી મહારાજની આ પાવનકારી પરંપરાનું વહન કરતા પરમ પૂજય ગુરૂવર્ય શાષાી શ્રી માધવપ્રિયદાજી સ્‍વામીની પ્રેરણાથી, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP)ની નૂતન શાખા SGVP ગુરૂકુલ રીબડા-રાજકોટનો મંગળ પ્રારંભ થઇ રહેલ છે ત્‍યારે આ નૂતન શાખામાં ધોરણ ૧ થી ૧૨ સુધી CBSE ( સેન્‍ટર બોર્ડ સેકન્‍ડરી એજયુકેશન) ની માન્‍યતા ધરાવતી સ્‍કુલનો અનાવરણ મહોત્‍સવ આગામી તા. ૨૧ માર્ચ  બુધવાર સાંજે પ થી ૮ દરમ્‍યાન શાષાી શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામીના અધ્‍યક્ષ સ્‍થાને અને પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્‍વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીની ઉપસ્‍થિતિમાં રાખવામાં આવેલ છે.

સંતોના સાનિધ્‍યમાં યોજાનાર આ સમારોહમાં દરેક સમાજના અગ્રગણીઓ તેમજ રાજકોટ તથા આસપાસ ગામોના તેમજ  SGVP  ગુરૂકુલ પરિવારના ભકતજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે તેમ સ્‍વામી ધર્મવત્‍સલદાસજી મો.નં.૯૮૭૯૦ ૦૦૯૫૫ અને પરશોત્તમભાઇ  બોડા    મો.નં. ૯૮૨૫૧ ૮૧૬૧૧ની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)