માળીયા મિંયાણાના વાધરવા ગામે લગ્નમાં ફાયરીંગ મામલે છ સામે ગુન્હો નોંધાયો
રાજકોટ તા. ૧૮ :.. માળીયા મીયાણાના વાધરવા ગામે ત્રણ દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં ફુલેકા દરમિયાન છ જેટલા લોકોએ હવામાં ફાયરીંગ કર્યુ હતું જે મામલે માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વાધરવા ગામે રહેતાં કિશોરસિંહ જાડેજાના પુત્ર સત્યપાલસિંહના ગત તા. ૧૪ ના રોજ લગ્ન હતા જેમાં રાત્રીના સમય જયો ફુલેકુ નીકળ્યું હતું ત્યારે અભિષેકસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ જાડેજા સહિતના પ્રસંગના આવેલા લોકોએ હવામાં ફાયરીંગ કર્યા હતા જે મામલે માળીયા પોલીસ મથકમાં છ શખ્સો સામે ગુનો નોંધાયો છે જેમાં અનિરૂધ્ધસિંહ પોતાના હથિયારમાંથી તેમજ અન્ય લોકોએ બીજાના હથિયાર વડે ફાયરીંગ કર્યુ હતું. જે અંગે પણ તપાસ ચાલુ જેની વધુ તપાસ એસઓજી પી. આઇ. ચલાવી રહ્યા છે.
લગ્ન પ્રસંગમાં થયેલ ફાયરીંગનો વિડીયો વાયરલ થયા બાદ મોરબી એસ. પી. એ. તપાસના આદેશો કર્યા હતાં. અને તપાસમાં છ શખ્સોએ ફાયરીંગ કર્યાનું ખુલતા તમામ સામે ગુન્હો દાખલ કરાયો હતો.