News of Tuesday, 19th February 2019
વિસાવદર પાસે પેરેલિસિસની અસરથી સિંહ બાળનું મૃત્યુ
જુનાગઢ તા.૧૯ : વિસાવદર પાસેના જંગલમાં પેરેલિસિસની અસરથી સિંહબાળનું મૃત્યુ થયાનું જાણવા મળેલ છે.
વિસાવદર નજીકનાં કુટીયા જંગલ વિસ્તારમાં ૧૪ બચ્ચા અને પાંચ સિંહણોનું ગ્રુપ વિહરી રહેલ છે.
આ ગ્રુપના એક બાળ સિંહને સારવારની જરૂર જણાતા તેને વિભાગે રીંગ પીંજરામાં કેદ કરેલ.
વેટરનરી ડોકટરે આ બાળ સિંહનું નિદાન કરતા તેને પેરેલિસિસની અસર હોવાનું જણાતા તેની સઘન સારવાર હાથ ધરી હતી.
પરંતુ એક વર્ષનું માદા સિંહ બાળ મૃત્યુ પામ્યુ હતુ. પોસ્ટમોર્ટમમાં આ સિંહ બાળને મલ્ટી ઓર્ગન ફેલ્યુઅર હોવાનું માલુમ પડયુ હતું.
(4:07 pm IST)