News of Tuesday, 19th February 2019
જામકંડોરણાના મેઘાવડ ગામે શાકોત્સવની કરવામાં આવેલ ઉજવણી
જામકંડોરણા તાલુકાના મેેઘાવડ ગામે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટ, ભાયાવદર, જુનાગ઼ દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.ે આ કાર્યક્રમમાં ગોવિંદસ્વરૂપદાસજી, તથા હરિપ્રીયદાસજી, (સ્વામી નારાયણ ગુરૂકુળ રાજકોટ), રામાનુજ સ્વામી-ભાયાવદર, નંદકિશોરદાસજી સ્વામી-જુનાગઢ, પૂર્ણ પ્રકાશદાસજી, રાજકોટ, વિવેક પ્રિયદાસજી-જુનાગઢ, ભકિતનંદનદાસજી તથા રામાનુજ સ્વામી-ભાયાવદર ઉપસ્થિત રહ્યા હતા અને હરિભકતોને આર્શીવચન પાઠવ્યા હતા તેમજ શાક બનાવી હરિભકતોને પ્રસાદી આપી હતી અને ૧૨૦૦ હરિભકતોએ સત્સંગ તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સમર્પણ સત્સંગ મંડળ-જશાપર ના હરિભકતો તેમજ એબ્રિસ સમાજના હરિભકતોએ સેવાઓ આપી હતી. (૩.૨)
(2:49 pm IST)