News of Tuesday, 19th February 2019
નિકાવામાં પુલવાના શહિદો માટે પ્રાર્થનાસભા
પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહિદ થયેલ ૪૪ જવાનો શ્રધ્ધાંજલી આપવા માટે નિકાવા ગઇ કાલે નંદીગરામમાં ચોકમાં પ્રાર્થનાસભા યોજાયેલ જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી શહિદોને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ અને એકી અવાજે સરકાર સમક્ષ આતંકવાદને જળમૂળથી નાબુદ કરી શહિદોનો બદલો લેવા લોકમાંગણી ઉઠી હતી. આ તકે કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસળીયા જામનગર જિ.પં. સદસ્ય જે.પી.મારવીયા અને નિકાવાના સરપંચ રાજુભાઇ મારવીયા પણ વીર જવાનોને પુષ્પાંજલી અર્પણ કરી હતી. (તસ્વીર - અહેવાલ : રફીકશા શાહમદાર, નિકાવા)(૪૫.૪)
(11:55 am IST)