સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા કેન્ડલ માર્ચ યોજાઇ

ફિશ વેપારીઓ, માછીમાર બોટ એસોસીયેશન સહિત વિવિધ સંગઠનોના આગેવાનો તથા જ્ઞાતિજનો જોડાયા

પોરબંદર, તા. ૧૮ : સમસ્ત ખારવા સમાજ દ્વારા કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલી અર્પવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવીબંદર, વણાકબારા નિવાસી ખારવા સમાજ  ફિશ વેપારીઓ માછીમાર બોટ એસોસીએશન સહિત વિવિધ સંગઠનો જ્ઞાતિના આગેવાનો તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજન જોડાયા હતાં.

આ કેન્ડલ માર્ચ ખારવા પંચાયત મઢીથી શરૂ થઇ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇ તથા પંચ પટેલ આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચ દરમિયાન માણેક ચોકમાં પૂ. ગાંધીજીને પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી. (૮.૧ર)

 

(11:48 am IST)