સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

ધોરાજીમાં હુમલાના વિરોધમાં કલેકટરને આવેદન

 ધોરાજી : જમ્મુ કાશ્મીરના પુલવામાં ભારતીય સૈન્યના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કરી ૪૦ થી વધારે જવાનોના મોતથી સમગ્ર દેશ હચમચી ઉઠયો જેના ભાગરૂપે ધોરાજીના ગાંધી ચોક ખાતે હિન્દુ મુસ્લીમ સંસ્થાઓની જૂદી જૂદી સામાજીક સંસ્થાઓ દ્વારા ડે.કલેકટરને મૌન રેલી રૂપે આવેદનપત્ર પાઠવેલ અને બાદમાં ૫૦૦૦ હજારથી વધારે હિન્દુ મુસ્લીમ સમાજના લોકોએ રોષભેર મૌન રેલી કાઢી જે ધોરાજીના જેતપુર રોડ લિબર્ટી રોડ અને શાકમાર્કેટ સોની બજાર થઇ ગાંધીજીની પ્રતિમા પાસે હજારો લોકોએ કેન્ડલ્સ સળગાવી માં ભોમની રક્ષા કાજે શહીદી વ્હોરનારા દેશના સપુતોને પુષ્પાંજલી અર્પણ કરેલ અને દેશના તમામ લોકોની સંવેદનાઓ સાથે શ્રધ્ધાંસુમન અર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર.(૪૫.૮)

(11:48 am IST)