News of Tuesday, 19th February 2019
તળાજાના વિદ્યાર્થીઓએ શહીદો માટે ખિસ્સા ખર્ચી માંકાપ મૂકી ફંડ કયુ એકઠું સરતાનપર, ટીમાંણા ગામે શ્રદ્ધાંજલિ આપી
ભાવનગર, તા.૧૯:- તળાજા શહેરના વિદ્યાર્થીઓ દ્વારા આજ શહીદોના પરિવાર જનોને આર્થિક મદદ માટે ખીસા ખર્ચી માંથી ફંડ એકઠું કરયુ તો આસપાસના ગામડાઓમાં સામુહિક શ્રદ્ઘાંજલિ આપવામાં આવ્યું હતી.
રાષ્ટ્રની રક્ષા કાજે ફરજ બજાવવા જઇ રહેલજવાનો પર આતંકીઓએ કરેલ હુમલા માં શહીદ થનાર જવાનોના પરિવારને આર્થિક સહાય મળેતે માટે તળાજાની એમ.કે સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓએ ખિસ્સા ખર્ચીમાં કાપ મૂકી આજ ફંડ નવ હજાર જેટલું જાતે ફંડ એકઠું કરયુ હતું.
નજીકના ટીમણા અને સરતાનપર બંદર ગ્રામજનો એ સામૂહિક રીતે આજ શહીદો ને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી.(૨૨.૩)
(11:46 am IST)