News of Tuesday, 19th February 2019
જસદણના ગોપાલ ભાડલીયાએ શહીદોને અંજલીમાં ભેળવ્યો ભકિતનો રંગ
જસદણ તા. ૧૯: પુલવામાં ત્રાસવાદી હુમલામાં દેશના અનેક જવાનોની શહીદી બાદ સમગ્ર ભારતમાં ત્રાસવાદીઓ સામે આક્રોશ અને ક્રોધ જોવા મળ્યો અને આ હુમલાના વિરોધમાં ઠેર ઠેર અંજલી આપવામાં આવી હતી.
જસદણની સાંકડી શેરી વ્હોરાવાડમાં રહેઠાણ અને મેઇન બજારમાં દુકાન ધરાવતા ગોપાલ ભાડલીયાના પરિવારએ આતંકી હુમલામાં માર્યા ગયેલા શહીદોને અનોખી અંજલી પાઠવી દેશપ્રેમ વ્યકત કર્યો હતો.
ગોપાલએ શહીદોના આત્માને સદ્દગતિ મળે એવા પ્રેરક કાર્ય કરી પોતાના રહેઠાણમાં જ રાધુનનો કાર્યક્રમ યોજી આ ઘટનાની યાદ આપી ઉપસ્થિતોના હૃદય ભીંજવી નાખ્યા હતાં.(૧.૧)
(9:57 am IST)