News of Tuesday, 19th January 2021
કચ્છમાં નિર્દોષ હિન્દુ યુવકોની અટકાયતના વિરોધમાં ધરણા કરવા જતા
વિહિપના પ્રદેશમંત્રી રાવલ-કાર્યકર્તાઓની અટકાયત
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૯: રવિવારે રાત્રીના કચ્છના કીડાણામાં અયોધ્યાના શ્રી રામ મંદિર નિર્માણ માટે નિર્માણનીધિ એકત્ર કાર્યક્રમ માટે આયોજીત રથ યાત્રા વખતે ધમાલ બોલતા દોડધામ મચી ગઇ હતી આ પ્રકરણમાં પોલીસ દ્વારા નિદોર્ષ હિન્દુ યુવકોની અટકાયત કરાઇ હોવાનું જણાવી ને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મંત્રી અશોક રાવલ સહિત કાર્યકરોએ આજે ગાંધીધામ એસ.પી. કચેરી ખાતે સવારે અચોક્કસ મુદતના ધરણા શરૂ કરતા પોલીસે તેઓને અટકાયત કરી હતી.
(1:19 pm IST)