અમરેલીના દેવળીયા પાસે સીમરણનાં ધામેલીયા પરિવારના દેરાણી જેઠાણીના મોતથી અરેરાટી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૯ : સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના હાલ સુરત રહેતા ધામેલીયા પરિવાર ફોર વ્હીલ કાર જી.જે.૦પ.આર. જે. ર૯રપમાં સીમરણથી અમરેલી તરફ આવતા હતા. ત્યારે ચકકગઢ દેવળીયા હનુમાનજી મંદિર શેત્રુજી પુલ આગળ આવેલ ખેતરમાં કાર પલ્ટી મારી જતાં ઘટના સ્થળે સવિતાબેન બાબુભાઇ ધામેલીયા ઉ.વ.૬૩ અને જયાબેન લાલજીભાઇ ધામેલીયા ઉ.વ.૬પ રહે. સીમરણ નામના બે સગા દેરાણી જેઠાણીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયા હતા.
જયારે અકસ્માતમાં બાબુભાઇ ભગવાનભાઇ ધામેલીયા ઉ.વ.૬૭, લાલજીભાઇ ભગવાનભાઇ ધામેલીયા તથા ઉ.વ.૭ર તેમજ ૮ વર્ષના કિહાન રાકેશભાઇ ધામેલીયાને ઇજા થતા અમરેલી સીટી ૧ અને ર ૧૦૮ના પાઇલોટ દિપેશભાઇ ચૌહાણ, યોગેશભાઇ વેદ, નિતીશ ચૌહાણ, સાગર મકવાણાએ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા.