મોરબી ડો.હસ્તીબેનના દવાખાને માર્ચ મહિનાના અંત સુધી સેવાકાર્ય
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૯ : મોરબી ડો. હસ્તીબેનના દવાખાને માર્ચ મહિનાના અંત સુધી એક દિવસીય વિનામુલ્યે દવા આપવામાં આવે છે. દાતાઓના સહયોગથી કેમ્પના બદલે દવાખાનેથી સેવાકાર્ય થઇ રહયુ છે. ગ્રીન ચોક પાસે, ગાંધી બજાર, માધવ રાયના મંદિર પાસે, મહેતા ઔષધ ભંડાર ઉપર ડો.હસ્તીબેનના દવાખાને દાતાઓના સહયોગથી પહેલી ડિસેમ્બરથી ૩૧ માર્ચ સુધી દર્દીને તપાસીને એક દિવસની દવા તદન વિનામૂલ્યે આપવાનો સેવાયજ્ઞ ચાલી રહયો છે. દર વરસે દર રવિવારે છેવાડાના પછાત વિસ્તારમાં જઇને માનવ સેવાનું કાર્ય કરવામાં આવતુ હતુ. પણ આ વર્ષે કોરોના મહામારીને લીધે પોતાના દવાખાને જ એક દિવસીય દવા વિનામૂલ્યે આપવાનું કાર્ય ડિસેમ્બરથી શરૂ થઇ ગયુ છે. ૧૬-૧-ર૧ થી ૩૧-૧-ર૧ના દાતા સ્વ. રૂપાબેન કૌશિકભાઇ શાહ મુંબઇ (બોરીવલી)ના સહયોગથી કરવામાં આવ્યું છે. સોમ થી શનિ સવારે ૧૦ થી ૧રને સાંજે પ થી ૭ દર્દીઓને લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.