ખાયડીમાં પવનચકકીના ગાર્ડની ૩ શખસ દ્વારા હત્યા અને લૂંટ
જામનગરઃ લાલપુર ગામના ખાયડી ગામના સીમ વિસ્તારમાં પવનચકકીના એરીયામાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જી.આર.ડી.ના ગાર્ડનુ ત્રણ અજાણ્યા શખસોએ કુહાડી જેવા ધારદાર હથીયારો વડે ખૂન કર્યુ હતુ. અને તેના મોબાઇલ ફોનની લૂંટ ચલાવી બાઇક ઉપર નાસી ગયા હતા.
એન.આર.કોન કંપનીમાં સિકયુરીટી ગાર્ડ અને જી.આર.ડી.માં પણ ફરજ બજાવતા નારણભાઇ લખમણભાઇ કરમુર (ઉ.૪પ) ગઇ કાલે સાંજે સાડા ચાર વાગયાના અરસામાં સાતપડ સીમ વિસ્તારમાં પવનચકકીના લોકેશન પર ફરજ બનાવી રહ્યા હતા. એ દરમિયાન બાઇક પર ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ઘસી ગયા હતા અને ઘાતક હથીયારોના ઘા મારી મોબાઇલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.
આ બનાવને થોડે દૂર વાડીમાં કામ કરતા પરતભાઇ કરંગીયા તથા હમીરભાઇ પીંડારીયા વગેરેએ નજરે જોયો હતો. તેમની બુમાબુમ થી ત્રણેય બાઇક સવાર નસી ગયા હતા. ઇજાગ્રસ્ત નારણભાઇને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં પહોંચાડયા હતા પરંતુ ટુંકી સારવાર બાદ તેઓનુ મૃત્યુ નીપજતા આ બનાવ ખુનમા પલટાયો હતો. એલસીબી- એસઓજીની પોલીસ ટીમ ખુનીઓને પકડવા માટે તપાસમા જોડાઇ છે.