મહાનગરોની જેમ મોરબીમાં પણ નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવા માંગ : આવેદન આપ્યું
આવેદન આપતી વેળાએ વિશ્વ હિંદુ પરિષદ ઉપરાંત બજરંગ દળ, ગૌરક્ષકો અને દુર્ગાવાહિનીના આગેવાનો જોડાયા
મોરબી : રાજ્યના મહાનગરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ જાહેર રસ્તાઓ પરથી હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરમાં પણ નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવાય તેવી માંગ હિન્દુવાદી સંગઠનો દ્વારા કરવામાં આવી છે
વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે અન્ય નાગરોની જેમ મોરબી શહેરમાં પણ રોડ પરથી નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે તે ઉપરાંત શહેરના રેસીડેન્ટ વિસ્તારમાં જાહેર માર્ગો પર કતલખાના બંધ કરવામાં આવે તેવી અગાઉ અનેક રજૂઆત છતાં કતલખાના હજુ ચાલુ છે જે મામલે સરકાર કોઈ પ્રકારની અમલવારી કરાવતી નથી ત્યારે તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આવેદન આપતી વેળાએ વિશ્વ હિંદુ પરિષદ ઉપરાંત બજરંગ દળ, ગૌરક્ષકો અને દુર્ગાવાહિનીના આગેવાનો જોડાયા હતા.