સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th November 2019

જુનાગઢ કૃષિ યુનિ. અને પીસીઆરએ વચ્ચે થયેલ એમ.ઓ.યુ.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એસોસીયેશન વચ્ચે પ વર્ષ માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. આ એમ.ઓ.યુ. અંતર્ગત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એસોસીયેશન દ્વારા કૃષિ યુનિવર્સિટી દ્વારા થતી જુદી જુદી વિસ્તરણ પ્રવૃતિઓથી ખેડૂતો તેમજ મહિલાઓ માટે જાગૃતિ લાવવા માટે પેટ્રોલીયમ કન્ઝર્વેશન કાર્યક્રમો ગોઠવવામાં આવશે. જેમાં ખેડૂતો યોગ્ય પ્રકારના પંપ સેટ તેમજ, તેના ફિટીંગ્સ અને યોગ્ય પદ્ધતિથી પિયત આપી શકાય જેનાથી ડીઝલ અને વિજશકિતનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે આ રીતે પિયત અને ખેતીકાર્યોમાં વપરાતી મશીનરી દ્વારા ડીઝલ અને વિજશકિતનો બિનજરૂરી ખર્ચ ઘટાડી શકાય. ઉપરાંત ગૃહ વિજ્ઞાન અંતર્ગત ઘરગથ્થુ વિજળી ઉપકરણનો ઉપયોગ, કેરોસીન, સોલાર તેમજ એલપીજી ગેસનો કાર્યક્ષમ ઉપયોગ થાય તેમજ સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય છે તે મુખ્ય ઉદ્ેશ છે. આ એમ.ઓ.યુ.નું વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. વી.વી. રાજાણી અને પીસીઆરએના દેબાશીસ રોય, ચીફ રીઝીયોનલ કોર્ડીનેટર, મુંબઇ દ્વારા આપલે કરેલ. કુલપતિશ્રી ડો.વી.પી. ચોવટીયાએ યુનિવર્સિટીમાં ચાલતી વિસ્તરણ પ્રવૃત્તિઓમાં આ વિષય આવરી લેવાશે તેમ જણાવેલ. આ પ્રસંગે  કુલસચિવશ્રી ડો. પી.એમ. ચૌહાણ ઉપરાંત ડો.વી.જે. સાવલીયા પણ ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

(1:54 pm IST)