સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th November 2019

વિરમગામ-ઓખા લોકલ ટ્રેઇન હાલ હાપાને બદલે ઓખા સુધી દોડાવવા માંગણી

જામનગર તા.૧૮ : પૂર્વ કોર્પોરેટર ચંદુભાઇ કાછડીયાએ સાંસદ પૂનમબેન માડમને રજૂઆતમાં વિરમગામ ઓખા લોકલ ટ્રેઇન હાપા સુધીને બદલે ઓખા દોડાવવા માંગણી કરી છે.

વિરમગામથી ઓખા ચાલતી લોકલ ટ્રેન લાંબા સમયથી રૂટ બંધ છે. તે રૂટ બંધ થતા ઘણા નગરવાસીઓને તકલીફોના સામનો કરવો પડે છે. તો તે રૂટની ટ્રેન ચાલુ કરવા માંગણી છે. આ ટ્રેન હાલ હાપા સ્ટેશન સુધી જ ચાલુ છે. ઓખા સુધી ચાલતી નથી તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:44 am IST)