મોરબીના મયુર પુલ પર પડી ગયેલા વીજપોલ મામલે કાર્યવાહીની માંગ
સામાજિક કાર્યકરે કરી કલેકટરને રજૂઆત
મોરબી: મોરબીના મયુર પુલ પર અનેક વીજપોલ પડી ગયા છે અને કેટલીક જગ્યાએ વીજપોલ જ નથી ત્યારે શહેરના મુખ્યમાર્ગ પરના વીજપોલ સમયસર રીપેર કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના મયુર પુલ પર ૮ થી ૧૦ સ્ટ્રીટ લાઈટ અને વીજપોલ પડી ગયા છે અને રાત્રીના સમયે સામાકાંઠાને જોડતા એકમાત્ર પુલ પર અંધારપટ જોવા મળે છે જેથી મોરબીની શાન સમાન મયુરપુલ પરની આ ભયંકર હાલત સુધારવા માટે સંબંધિત તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી અને આ મામલે તંત્ર ઝડપથી યોગ્ય કાર્યવાહી કરે અને રાત્રીના અકસ્માત સર્જાય તે પૂર્વે જ સ્થિતિ સુધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે