સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th October 2019

દિલીપભાઇ સંઘાણીના પિતાશ્રી નાનુભાઇનું અવસાનઃ રાત્રે અમરેલીમાં અંતિમવિધિ

રાજુલાઃ રાજયના પુર્વ કૃષિ મંત્રી અને સહકારી અગ્રણી દિલીપભાઇ સંઘાણીના પિતાશ્રીનું આજે બપોરે અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે.

રાજયના પુર્વ કૃષિમંત્રી અને અમરેલી જીલ્લાના ભાજપ અગ્રણી દિલીપભાઇ સંંઘાણીના પિતાશ્રી નાનુભાઇ હીરજીભાઇ સંઘાણી (ઉ.વ.૯૩)નું આજે બપોરે અવસાન થયેલ છે. તેઓની થોડા દિવસોથી નાદુરસ્ત તબીયત હતી.

આજે નાનુભાઇ સંઘાણીના અવસાનના સમાચાર મળતા જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા દિલીપભાઇ સંઘાણી તાબડતોબ અમરેલી આવી ગયા હતા. સ્વ. નાનુભાઇ સંઘાણીની અંતિમ યાત્રા આજે રાત્રીના ૯.૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નિકળશે.

(4:13 pm IST)