સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ભાવનગરમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજા :યુવરાજ જયવીરસિંહ અને શક્તિસિંહ ગોહિલ સહિતનાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કર્યુ

કુલગોર દ્વારા વિધિવત શસ્ત્રને જળ છાંટીને પવિત્ર કરી મહાકાળી સ્તોત્રનો પાઠ કરી શસ્ત્રપૂજન કરાવાયું

 

ભાવનગર :દશેરાના દિવસે ભાવનગરમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી નવાપરામાં આવેલા સમાજ ભવનમાં શસ્ત્ર પૂજનનું આયોજન થયું હતું પૂજન પહેલા રાજપૂત સમાજ દ્વારા વિશાળ રેલીયોજાઈ હતી

 શસ્ત્રપૂજનમાં  ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત રાજપૂત સમાજના આગેવાનોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રપૂજન કર્યુ હતું. જેમાં કુલગોર દ્વારા વિધિવત શસ્ત્રને જળ છાંટીને તેને પવિત્ર કરી તેમજ મહાકાળી સ્તોત્રનો પાઠ કરી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું

   શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં રાજપુત સમાજની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

(11:51 pm IST)