સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

પાક મરીન દ્વારા ફાયરીંગ કરી ૩ બોટ સાથે ૧૮ માછીમારોના અપહરણ

જખો જળ સીમાએ ફાયરીંગ સમયે ભારતીય કોસ્ટગાર્ડ પહોંચી જતા ર બોટ અને ૯ માછીમારોને બચાવી લીધા

પોરબંદર તા.૧૮ જખો જળ સીમાએ મધરાત્રે પાક મરીને ભારતીય ફિશીંગ બોટો ઉપર ફાયરીંગ કરીને ૩ બોટ સાથે ૧૮ માછીમારોનુ અપહરણ કરી ગયેલ.

પાક મરીન દ્વારા ફાયરીંગ કરાતા ફિશીંગ કરતા માછીમારોમાં નાસભાગ મચી ગઇ હતી. દરમ્યાન ભારતીય કોસ્ટગાર્ડની પેટ્રોલીંગ બોટ આવી જતાં ર બોટ અને ૯ ખલાસીઓને બચાવી લીધા હતા. અપહરણ થયેલ ત્રણેય બોટ ઓખા બંદરની છે.

પાકિસ્તાન મરીને ઓખાની મામાસાહેબ મા (જી.જે. ૧૦ એમએમ ૩૪૮૦) સફીશ અલ (જી.જે. ૧૦ એમએમ ૧૭૬૧) અને (જી.જે ૧૦એમ.એમ ૩૨૫૦) નંબરની બોટ સાથે ં૧૮ માછીમારોના અપહરણ કરી ગયેલ છે.

જખોૈ જળ સીમાએ અવારનવાર પાક મરીન દ્વારા માછીમારોના અપહરણ કરવામાં આવે છે. દશેરાની પૂર્વે રાત્રીના માછીમારોના અપહરણથી સાગર ખેડૂઓમાં રોષ વ્યાપી ગયો છે.

(3:51 pm IST)