News of Thursday, 18th October 2018
જામજોધપુરમાં સળગતી મશાલ રાસ
જામજોધપુર : ગાંધી ચોક શ્રી આશાપુરા ગરબી મંડળ દ્વારા યોજાયેલ સળગતી મશાલ રાસે લોકોમાં આકર્ષણ જગાવ્યુ હતુ. આ ગરબીમાં ખેલૈયાઓએ મેદાનમાં સળગતા અંગારાઓ વચ્ચે ઉભા રહીને મશાલ રાસ કર્યો હતો. આ રાસ જોવા આસપાસના વિસ્તારના લોકો તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટયા હતા તેમજ વેશભૂષા રાસ, તલવાર રાસ વગેરે કરવામાં આવ્યા હતા. (તસ્વીર - અહેવાલ : દર્શન મકવાણા, જામજોધપુર)(૪૫.૬)
(12:05 pm IST)