સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

પ્રભાસ પાટણ કોળી જય અંબે ગરબી મંડળ દ્વારા શ્રી રાંદલ માતાજીનાં ૧૦૮ લોટાનું આયોજન

પ્રભાસ પાટણ તા.૧૮: પ્રભાસ પાટણમાં ઘેડીયા કોળી સમાજ જય અંબે ગરબી મંડળ દ્વારા કોળી સમાજના હિતાર્થે શ્રી રાંદલ માતાજીનાં ૧૦૮ લોટાનું ભવ્ય આયોજન તા. ૧૬નાં રોજ કરવામાં આવેલ હતું. જેમાં પુજા અર્ચના, બાળકોને પ્રસાદ, મહાઆરતી, દીપમાળા, પ્રસાદી તેમજ રાત્રીના ૧૧ કલાકે રાસ ગરબા યોજાયા હતા. આ રાંદલમાતાનાં ૧૦૮ લોટાનાં દર્શન માટે સ્વામી ભકિત પ્રસાદ દાસજી, સ્વામી માધવ ચરણદાસજી, સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, બાલાભાઇ શામળા, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, ખારવા સમાજના પ્રમુખ લખમભાઇ ભેસલા, નગરપાલિકાના પુર્વ પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, તુલસીભાઇ ગોહિલ, પ્રવિણભાઇ રૂપારેલીયા, ભીડીયા કોળી સમાજનાં પુર્વ પ્રમુખ જેન્તીભાઇ સોલંકી, ઉપ પ્રમુખ લક્ષ્મીકાંતભાઇ સોલંકી, વેરાવળ કોળી સમાજનાં પ્રમુખ નારણભાઇ વાયલુ, જિલ્લા કોળી સમાજ અને પ્રભાસ પાટણ કોળી સમાજનાં પ્રમુખ કાનાભાઇ ગઢીયા, કોળી સમાજનાં અગ્રણી કાનાભાઇ બાંભણીયા, કોળી સમાજ યુવા અગ્રણી રામભાઇ સોલંકી તથા કોળી સમાજનાં લોકો અને મંડળોનાં પ્રમુખો દ્વારા રાંદલમાતાનાં દર્શન કરેલ હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં બાલગજાનંદ મિત્ર મંડળ, ભવાની ગરબી મંડળ, ગોૈરીપુજા ગજાનંદ મિત્ર મંડળ, શિવ-શકિત મંત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનાં આયોજક જય અંબે ગરબી મંડળ પ્રભાસ પાટણ. (૧.૩)

(12:01 pm IST)