સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

વાછકપર બેડીમાં હકા કોળીને પગે જનાવર કરડી જતાં જીવ ગુમાવ્યો

બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૭: કુવાડવા તાબેના વાછકપર બેડી ગામે રહેતાં હકાભાઇ વશરામભાઇ વઢુકીયા (ઉ.૨૮) નામના કોળી યુવાનને પગે જનાવર કરડી જતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. હકાભાઇ ગઇકાલે પોતાની વાડીએ પાણી વાળી રહ્યો હતો ત્યારે પગમાં કોઇ જનાવર કરડી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના  હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં એએસઆઇ ફતેહસિંહ સોલંકી અને જયંતિભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર યુવાન ચાર ભાઇમાં ત્રીજો હતો. તેના મોતથી માસુમ દિકરી અને દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.

(12:07 pm IST)