લાઠી તાલુકામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા
બાબરાઃ મોદીના જન્મ દિવસ પ્રસંગે લાઠી તાલુકા ના જરખીયા ગામે માનસરોવર તળાવ ખાતે નર્મદાના નવા નીર નું પૂજન કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા તેમના વધામણા કરવામાં આવ્યા હતા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા ની ઉપસ્થિતિમાં ઢોલ નગારા સાથે માનસરોવર તળાવ ખાતે શાસ્ત્રોહીત વિધિ સાથે નમામી દેવી નર્મદા માતાનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.ઙ્ગઆ કાર્યક્રમમાં લાઠી પ્રાંત અધિકારી જોષી મામલતદાર મનાત, ડી ડી ઓ મકવાણા, લાઠી નગરપાલિકા ચીફ ઓફિસરઙ્ગ સહીતઙ્ગ લાઠીઙ્ગ શહેર ભાજપ ના પ્રમુખ પ્રણવભાઇ જોષી નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ કોટડીયા, ધનશ્યામભાઇ સાવલીયા, પ્રવિણભાઈ કાકડીયા, ભરતભાઈ સુતરીયા, હરેશભાઇ કાકડીયા, રાજુભાઇ ભુવા, વિપુલભાઈ ઓજા હીતેનભાઇ મકવાણા, ભરતભાઈ પાડા,દીનેષભાઇ કુંડાણી ,કાળુભાઇ ભીકડીયા ,અનિલભાઇ નાઢા ,જગદીશભાઇ ખુંટ,નરેન્દ્રશીહ ગોહિલ, ચેતનભાઇ મકવાણા, રાજુભાઇ મોતીસરીયા, શૌલેષભાઇ રાઠોડ, સહીત આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ ગ્રામજનો મહીલાઓ, અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(મનોજ કનૈયા. બાબરા)