સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th September 2019

જૂનાગઢમાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો

જુનાગઢ : અખિલ ગુજરાત સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલની અધયક્ષતામાં કારડીયા રાજપૂત સમાજ-જુનાગઢ આયોજીત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોઅર કેજીથી સ્નાતકક્ષાના અભ્યાસક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓ, રાજય અને રાષ્ટ્રીય સ્તરે સમાજનું નામ રોશન કરનાર પ્રતિભાવંત વ્યકિતઓ અને સેવાનિવૃત કર્મયોગીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહક પુરસ્કાર-શિલ્ડથી સન્માનિત કરાયા હતાં. સમારંભની શરૂઆતમાં પિયુષ છાત્રાલયની બહેનો દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી ત્યાર બાદ દિપ પ્રાગટય બાદ બે માસ પહેલા જમ્મુ-કાશ્મીર સરહદે સમાજના સૈનિક શહીદી પ્રાપ્ત કરી તેવા શહીદવીર દિલીપસિંહ વિરસંગભા ડોડીયાને બે મીનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે પૂર્વપ્રમુખ નારણભાઇ મોરી, માવસિંહજી બારડ, દેવસીબાપુ જાદવ, અલ્પેશભાઇ ડોડીયા, સહિતના પ્રોફેસરો-શિક્ષકો-ડોકટરો સહિતના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. દિલીપસિંહ બારડે કર્યું હતું. જયારે આભાર દર્શન મહામંત્રી પ્રતાપસિંહ ઝાલાએ કર્યું હતું.

(1:14 pm IST)