ભાવનગરમાં અંધજન ધ્વજદિનની ઉજવણી
અખિલ હિંદ અંધજન ધ્વજદિન સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે નેત્રહીનોનાં સર્વાંગી વિકાસ અર્થે ભાવનગરના ઘોઘાગેટ ખાતે જનજાગૃતિ બુથ લાયન્સ કલબ ઓફ ભાવનગર સીટીનાં રીજીયોનલ ચેરમેન સંજયભાઇ ઓઝાએ દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકયુ હતુ. શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશિષ્ઠ ફંડ એકત્રીત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઇ સોનાણીએ નેશનલ ફલેગ ડેની ઉજવણી તેમજ સંસ્થાની પ્રવૃત્તિની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ડો.હિરેનભાઇ ચાવડા (આસી. પ્રો. વળીયા કોલેજ, ચેરમેન મેઘધનુષ ઇકો કલબ), ડો. બીપીનભાઇ સી. પટેલ (એન.એન.એસ. પ્રોગ્રામ ઓફિસર અને એસો. પ્રોફેસર તથા હેડ એકા. એમ. જે. કોલેજ ભાવનગર) પ્રેરક પ્રવચન આપ્યું હતું તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર વિપુલ હિરાણી) (૧૧.૪)