સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th September 2019

માળીયા મિંયાણા પાસે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર ચિરાગ દિન શેખનું મોત

મોરબી તા. ૧૮: માળિયા મિંયાણા ત્રણ રસ્તા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકના ચાલકનું મૃત્યુ નીપજયું હતું.

માળિયાના ત્રણ રસ્તા નજીક આરોપી ટ્રક જીજે ૧૮ એકસ ૮૩૧૬ના ચાલક ચિરાગદિન અમીભાઇ શેખએ પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવીને આગળ જતા આઇવા ટ્રક જીજે ૩૬ ટી ૬૪૪૬ની પાછળ ઠાઠામાં ભટકાડી ચિરાગદિનને પોતાને માથામાં ગંભીર ઇજા પહોંચાડી મૃત્યુ નીપજયું હતું. જે બનાવ અંગે ટ્રકના કલીન્ડર મનસુખભાઇ મેરાભાઇ મકવાણાએ માળિયા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. (૭.૧૯)

(11:51 am IST)