વડીલની અંતિમક્રિયામાંથી પરત ફરતા યુવકનુ વાવમાં ડુબી જતા કરૂણમોત : હાથપગ ધોવા જતા પગ લપસ્યો
ગીર ગઢડા તાલુકાનાં જુના ઉગલા ગામે અતિ કરૂણ ઘટનાં: શોકનો માહોલ
ગીર ગઢડા તાલુકાનાં જુના ઉગલા ગામે ભાણાભાઈ કાનાભાઈ બારૈયા નામના વડીલનું અવસાન થતાં તેઓની અંતિમ ક્રિયા પૂર્ણ કરી ડાધુઓ સ્મશાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે પરંપરા મુજબ નદી અથવા વાવ કાંઠે હાથ પગ ધુએ અથવા તો સ્નાન કરી ઘરે જતા હોય છે.તે પ્રમાણે આ વડીલની સ્મશાન યાત્રામાં જોડાયેલ જીણાભાઈ કાળુભાઇ સરવૈયા (ઉ.વ.25) નામનો યુવાન સ્મશાન નજીક આવેલા રામનાથ મંદિર પાસે આવેલી પગથિયાં વાળી જૂની વાવમાં હાથપગ ધોવા જતા પગ લપસી જવાને કારણે આ યુવાન વાવમાં ડૂબી ગયો હતો.2 કલાકની મથામણ બાદ આ યુવાનની ડેડબોડી મળી આવી હતી.સ્મશાન યાત્રાએથી પરત ફરતા આ કરૂણ ઘટના બનવાથી નાના એવા ગામ જુના ઉગલામાં શોકનો માહોલ છવાયો છે.ગ્રામ પંચાયત દ્વારા પંચનામું કરી આ યુવાનની અંતિમક્રિયાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.